7મી માર્ચે સાંસદ વિનોદ ચાવડાનું મોરબીમાં થશે ભવ્ય સ્વાગત-સન્માન

- text


લોકસભા ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં મોરબીમાં બાઈક-કાર રેલી અને કાર્યકર્તા સંમેલન યોજાશે

મોરબી : કચ્છ-મોરબી લોકસભા બેઠકના હાલના સાંસદ વિનોદભાઈ ચાવડાને ભાજપ મોવડી મંડળે ફરીથી 2024ની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી છે ત્યારે કચ્છ-મોરબી ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિનોદભાઈ ચાવડા લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રથમ વખત મોરબી શહેરમાં આવી રહ્યા છે તે અવસરે 7 માર્ચ ને ગુરુવારના રોજ તેઓનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવશે અને બાઈક કાર રેલી અને કાર્યકર્તા સંમેલન યોજાશે.

- text

આવતીકાલે તારીખ 7 માર્ચ ને ગુરુવારના રોજ સમસ્ત મોરબી માળીયા વિધાનસભા પરિવાર ભાજપ દ્વારા વિનોદભાઈ ચાવડાને આવકારવા માટે સાંજે 5 કલાકે શનાળા રોડ પર સ્વામિનારાયણ મંદિર ખાતે તેમના ભવ્ય સ્વાગત-સન્માનનો કાર્યક્રમ યોજાશે. સાથે જ બાઈક કાર રેલી દ્વારા મોરબીની મુખ્ય બજારમાં રોડ-શો યોજાશે. રસ્તામાં આવતા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પર દિપ પ્રગટાવી આ રેલી ઉમા ટાઉનશિપ ખાતે કાર્યકર્તા સંમેલનમાં ફેરવાશે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત પ્રચંડ જનાદેશ સાથે જીતાડવા માટે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના તમામ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોને જોડાવવા આમંત્રણ પાઠવાયું છે.

- text