- text
મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે આવતીકાલે તારીખ 3 માર્ચ ને રવિવારના રોજ અયોધ્યા રામ મંદિર નિર્માણમાં યોગદાન આપનાર કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે.
વર્ષ 1990 તથા 1992માં અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે કારસેવા કરનાર કાર સેવકોને મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સન્માનિત કરવામાં આવશે. જે માટે આવતીકાલે 3 માર્ચ ને રવિવારે સવારે 10 વાગ્યે મોરબી અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ પ્રાર્થના મંદિરે સન્માન સમારોહ યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- text
- text