પેંશનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરતા મુખ્યમંત્રી

- text


રાજ્યના તમામ પેંશનરો અને કર્મચારીઓને જુલાઈ-2023થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચુકવાશે

મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મયોગી હિતકારી નિર્ણય લઈ તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેંશનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરી મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે તેવું જાહેર કર્યું છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેંશનરોના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી રાજ્યના કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મોંઘવારી ભથ્થા વધારાનો મળશે લાભ મળશે.

વધુમાં મુખ્યમંત્રી દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે જેમાં જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.

- text

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે.જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરવાની સાથે નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરી એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે. ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.

- text