મોરબી સહિત રાજ્યભરના શિક્ષકોનું પડતર પ્રશ્ને 6 માર્ચથી આંદોલન

- text


6 માર્ચે મહામતદાન, ઓનલાઈન કામગીરીથી અળગા રહી ચોક ડાઉન, પેન ડાઉન કરાશે, ત્યારબાદ 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ ઓગસ્ટ ૨૦૨૨માં આંદોલન થયેલ. સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તથા અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંદોલનાત્મક કાર્યક્રમો અંગે રણનીતિ ઘડવા બલરામ મંદિર ગાંધીનગર*લ ખાતે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલ ૭૫ થી વધુ સંગઠનો ભારતીય મજદૂર સંઘ(જી.ઇ.બી., એસ.ટી રીટાયર્ડ યુનિયન સહિત), અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ૯ સંવર્ગ, ૦૧-૦૪-૨૦૦૫ પહેલા નિમાયેલ શિક્ષક કર્મચારીઓના ૨૭ થી વધુ અન્ય સંગઠનોના મળી કુલ ૩૦૦ થી વધુ પદાધિકારીઓની હાજરીમાં યોજાયેલ બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ સમાધાન મુજબના ઠરાવ ન થતા તથા પડતર પ્રશ્નો ન ઉકેલાતા જબરજસ્ત આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી.

સરકાર દ્વારા આગામી ૪ માર્ચ સુધીમાં સમાધાન અનુસારના ઠરાવો બહાર પાડવામાં નહીં આવે તો આગામી ૬ માર્ચના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સાથે જોડાયેલ સંગઠન ગુજરાતના ૮,૫૦,૦૦૦ થી વધુ શિક્ષક કર્મચારીઓ શિક્ષક કર્મચારીઓના હિતમાં આંદોલન કરી તે દિવસે મહામતદાન, ઓનલાઈન કામગીરીથી અળગા રહી ચોક ડાઉન, પેન ડાઉન કરશે. ત્યારબાદ પણ પડતર પ્રશ્નો ન ઉકેલાય તો આગામી ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજશે.જેમા કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન ૧૦૦,૦૦૦ એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે.

- text

જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા સમાધાન મુજબના ઠરાવો બહાર પાડવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાતની પ્રાંત કારોબારીની બેઠકમાં તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા સરકાર રચિત પાંચ મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જુનથી પેન્શન યોજનામાં સમાવવા, એન.પી.એસ. વાળા શિક્ષક કર્મચારીઓના ૧૦% કપાત સામે સરકારનો ૧૪% ફાળો કાપવાનો ઠરાવ, સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ તથા ભથ્થા આપવા અને અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંદોલનનો નિર્ણય લેવાયો છે.

- text