અમદાવાદ-ભુજ ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવા સાંસદ મુંજપરાની રજૂઆત

- text


મોરબી : એકાદ વર્ષ પહેલા શરૂ થયેલી અમદાવાદ-ભુજ વચ્ચે ચાલતી ઈન્ટરસિટી ટ્રેન રેલવે વિભાગ દ્વારા અચાનક બંધ કરી દેવાતા સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ રેલવે વિભાગના ડીઆરએમને લેખિત રજૂઆત કરીને ટ્રેન ફરી શરૂ કરવા જણાવ્યું છે.

- text

સુરેન્દ્રનગર સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ અમદાવાદ ડિવિઝનના ડીઆરએમને પત્ર લખીને જણાવ્યું છે કે, એકાદ વર્ષ પહેલા ભુજ થી અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેન (09455/56) શરૂ કરાઈ હતી જ અચાનક બંધ કરી દેવામાં આવ છે. આ ટ્રેન અમદાવાદ સુધી જતી હોય મોટાભાગના સ્ટેશન પર સ્ટોપેજ હોય કચ્છ કે અમદાવાદ તરફ જતાં મુસાફરોને સરળતા રહેતી હતી. આ ટ્રેન 19-02-2024થી બંધ કરી દેવામાં આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સત્વરે આ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

- text