ટંકારામાં કૌટુંબિક ભત્રીજાઓએ અદાને ધોકાવી નાખ્યા 

- text


અમારા ખેતરમાંથી નીકળતી તમારી પાણીની લાઈન લીક થાય છે અત્યારે જ પાઇપ કાઢો કહી હુમલો 

ટંકારા : ટંકારાથી કોઠારીયા તરફ જવાના કાચા રસ્તે શીતળામાંના મંદીર પાસે આવેલી વાડીએ બે કૌટુંબિક ભત્રીજાએ પાણીની પાઇપ લીક થવા મામલે અદાને વાંસડે વાંસડે માર મારવાના બે મહિના પહેલાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ખડીયાવાસમાં રહેતા હેમંતલાલ મોહનભાઈ દુબરીયા ઉ.55 નામના આધેડે તેમના કૌટુંબિક ભત્રીજાના પુત્ર એવા આરોપી હિતેશ રામજીભાઈ દુબરીયા તથા શશીકાંતભાઈ રામજીભાઈ દુબરીયા રહે- બંન્ને ટંકારા વાળા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23 ડિસેમ્બરના રોજ તેઓ પોતાની વાડીએ ઝટકાના તાર ગોઠવતા હતા ત્યારે બન્ને આરોપીઓએ આવી તમારી પાણીની લાઈન લીકેજ છે, અમારી વાડીમાંથી તમારી પાઈપલાઈન કાઢી નાખો નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી વાંસડા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં ઘરમેળે સમાધાનના પ્રયાસોમાં સફળતા ન મળતા અંતે હેમતલાલે ટંકારા પોલીસ મથકમાં બન્ને ભત્રીજાના પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text