મોરબીના પાનેલી આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડીકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીમાં આવતી પ્રા.શાળા તેમજ અન્ય વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા કરમિયાની બીમારીના કિસ્સામાં વ્યક્તિને ક્યાં પ્રકારની પ્રાથમિક સરવાર આપવી જોઈએ તે અંગે જણાવવામાં આવ્યું હતું તેમજ આપણી આસપાસ કોઈપણ બાળકો કે વ્યક્તિને આ પ્રકારની બીમારી થઈ ગઈ હોય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે માટે આપણે ક્યાં પ્રકારના પ્રયત્નો કરીએ જેથી તેના સ્વાસ્થ સુધરે તે અંગે માહિતી આપવામાં આવી હતી તથા કરમિયાની બીમારીના લક્ષણો પેટમાં દુઃખાવો થવો, ખોરાકનો પાચન ન થવો વગેરે લક્ષણો વિશે જણાવવામાં આવ્યું હતું. કરમિયાના રોગ થી બચવા માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તે અંગે પણ માહિતી આપવામાં આવેલ હતી.

- text

સાથે જ બાળકોને જમતા પહેલા હાથ ધોવા, રાંધતા પહેલા શાકભાજીને સ્વચ્છ કરવા કૃમિ ચેપ ધરાવતા પ્રાણીઓથી દૂર રહેવું તે અંગે ઉપસ્થિત રફાળેશ્વર શાળાના આચાર્ય આશિષભાઇ ચૌહાણ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ દિલીપભાઇ દલસાણીયા, દીપકભાઈ વ્યાસ, અમિતાબેન મૂછડીયા, સોનલબેન સિંહણીયા, ભાવનાબેન ચાવડા દ્વારા બાળકોને દવા આપવામાં આવી હતી. જેથી તે બાબતે હકારાત્મકતા આવે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાનેલી તથા ગીડચ પ્રાથમિક શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text