મોરબીના ત્રણ સહિત રાજ્યના 232 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી

- text


આર.ટી.વ્યાસ મોરબી મુકાયા

મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીને પગલે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવા આદેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મોરબી જિલ્લાના ત્રણ પીઆઈની બદલી કરવામાં આવી છે સાથે જ પીઆઇ આર.ટી. વ્યાસને મોરબી મુકવામાં આવ્યા છે.

- text

ગૃહવિભાગ દ્વારા રાજ્યના બિન હથિયારી 232 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એચ.એમ.વ્યાસને વડોદરા, વી.એમ.લગારીયાને જામનગર અને સીટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા પી.એ.દેકાવડીયાને એસીબીમા મુકવામાં આવ્યા છે, જ્યારે એસસીઆરબીમા ફરજ બજાવતા આર.ટી. વ્યાસને મોરબી મુકવામા આવ્યા છે.

- text