મોરબી સિવિલ હોસ્પિટલના ઓપટોમેટ્રીસ્ટને વયનિવૃત થતા વિદાયમાન અપાયું

- text


મોરબી : મોરબી સરકારી આંખની હોસ્પિટલ ખાતે સીનીયર ઓપટોમેટ્રીસ્ટ તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત્ત થતાં સરકારી આંખની હોસ્પિટલ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ વિદાય સમારોહ કાર્યક્રમમાં હોસ્પિટલના અધિક્ષક ડો. કૈલા, આંખના સર્જન ડો. રૂપાલા, ડો. બાવરવા,ડો.બીના વિરમગામા, ઈન્ચાર્જ જીજ્ઞાબેન રાવલ, દિનેશભાઈ ચાવડા તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેશભાઈ કાલરીયાએ સરકારમાં સળંગ 39 વર્ષ ફરજ બજાવેલ છે. તેમજ તેઓએ મોરબી સરકારી આંખની હોસ્પિટલ ખાતે સતત 28 વર્ષ ફરજ બજાવીને નિવૃત્ત થયાં છે ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈન્ચાર્જ જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text