મહેન્દ્રનગરની તક્ષશિલા વિદ્યાલયમાં સિરામીક એસો. પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરની તક્ષશિલા વિદ્યાલય ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિરામીક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સામાજીક, રાષ્ટ્રભક્તિ અને ધાર્મિકતા સાથેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિશેષમાં બાળકોએ આબેહૂબ રામાયણના પાત્રો ભજવીને સમગ્ર વાતાવરણ રામમય બનાવ્યું હતું. તેમજ સ્વચ્છતાનો સંદેશ આપતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે રમત-ગમત ક્ષેત્રમાં અનેરી સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ દેત્રોજા, હરજીવનભાઈ વરમોરા સહીતના મહેમાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શૈલેષભાઈ કુંડારીયા, સંચાલક દિનેશભાઈ ગોસાઈ અને શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text