મોરબીના ઓમનગરમાં કાલે મહાઆરતી, મહાપ્રસાદ યોજાશે

- text


મોરબી : મોરબીના ઓમનગર વિસ્તારમાં અયોધ્યા મહોત્સવ નિમિત્તે આવતીકાલે ધૂનભજન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ઓમનગર ખાતે અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતરંગ તમામ ઘરે દીવડા પ્રગટાવી આસોપાલવના તોરણ બંધાયા છે અને આવતીકાલે તા.22ના રોજ સવારે ધૂન ભજન બપોરે મહાઆરતી, તથા 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન દાતા લાભુબેન તેમજ કાનજીભાઈ મોહનભાઇ કડીવારના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક અવસરનો લાભ લેવા તમામ ગ્રામજનોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text