અયોધ્યા ઉત્સવ અંતર્ગત મોરબી પ્રજાપતિ સમાજની દીકરીઓએ ભગવાનને કુમકુમ અક્ષત અર્પણ

- text


મોરબી : અયોધ્યામાં 22 જાન્યુઆરીના નવનિર્માણ રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ઘરે-ઘરે લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરો અને ગામમાં આમંત્રણ પત્રિકા અને અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીની પ્રજાપતિ સમાજની દીકરીઓ દ્વારા અરૂણદય મિલ પાસે આવેલા સ્મશાનગૃહમાં સ્થાપિત દરેક મૂર્તિઓ પાસે અક્ષત અને આમંત્રણ પત્રિકા મુકવામાં આવ્યા હતા. પ્રજાપતિ સમાજના સેવાભાવી લવજીભાઈ બારેજીયા, રાજુભાઈ ભોરણીયા, ચંદ્રેશભાઈ ભોરણીયાની દીકરીઓએ પોતાના પિતાની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈને તેમાંથી પ્રેરણા લઈ આ કાર્ય કર્યું હતું.

- text

- text