22મીએ મોરબીના બાપા સીતારામ ચોકમાં શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે

- text


મોરબી : અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં મોરબીના બાપાસીતારામ ચોક મુકામે શોભાયાત્રા, મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

વિવિધ કાર્યક્રમો અંતર્ગત તારીખ 21/1ને રવિવારે રાત્રે 9:00 કલાકે હનુમાન ચાલીસા સમૂહ ગાન, રાત્રે 10:00 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં મોરબીની અલગ અલગ સ્કૂલની બાળાઓ કૃતી રજૂ કરશે તેમજ રાત્રે 11:00 કલાકે રાસ ગરબાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત તારીખ 22 જાન્યુઆરીને સોમવારે સવારે 9:00 કલાકે અલગ અલગ ચાર દ્વારથી શોભાયાત્રા શરૂ થઈ બાપાસીતારામ ચોકમાં શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાશે. મહાઆરતી બપોરે 12:20 કલાકે કરવામાં આવશે. આરતીની થાળી ઘરેથી સજાવીને લઈ આવવાની રહેશે. સમગ્ર કાર્યક્રમમાં જોડાવવા આયોજકો વતી જાહેરા અનુરોધ કરાયો છે.

- text