- text
મોરબી : અયોધ્યા ધામે શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં મોરબી તાલુકાના ભડિયાદ ગામે આગામી તારીખ 22/1/2024ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં સાંજે 4:00 કલાકે શોભાયાત્રા, સાંજે 6:45 કલાકે મહાઆરતી, 7:00 કલાકે મહાપ્રસાદ તથા રાત્રે 9:00 કલાકે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરનો સર્વે ધર્મપ્રેમીઓને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.
- text
- text