મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને દિલ્હી ખાતે પ્રજાસતાક પર્વમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

- text


સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ મેળવાનારા ઉદ્યોગપતિ તેમના ધર્મપત્ની સાથે પરેડના સાક્ષી બનશે

મોરબી : મોરબીના પોલીપેક ઉદ્યોગપતિને તાજેતરમાં નાની વયે ઔદ્યોગિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ મળ્યા બાદ આગામી તા.26ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક પરેડમાં હાજર રહેવા નિમંત્રણ મળતા ઉદ્યોગકારોમા ખુશીની લહેર દોડી ઉઠી છે.

મોરબી પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ અને બાલાજી પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના સંચાલક એવા જગદીશભાઈ પનારાને તાજેતરમાં ગોવા ખાતે સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાદ આગામી તા.26ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક પર્વ પરેડમાં રાજપથ ખાતે હાજર રહેવા આમંત્રણ મળતા જગદીશભાઈ પનાર તેમજ તેમના પત્ની મિતાબેન પનાર આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે.

- text

- text