જયશ્રી રામ ! મોરબીના પ્લેટિનિયમ હાઈટ્સ બિલ્ડીંગમાં સાત માળ ઉંચું ભગવાન શ્રી રામનું પોસ્ટર લગાવાયું

- text


મોરબી : આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે. રામ ભક્તો પ્રભુશ્રી રામને આવકારવા વિવિધ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે મોરબીના પ્લેટિનિયમ હાઈટ્સના રહીશોએ સાત માળ ઉંચુ ભગવાન શ્રી રામનું પોસ્ટર લગાવ્યું છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી પ્લેટિનિયમ હાઈટ્સમાં રહીશો દ્વારા જય શ્રી રામ લખેલું સાત માળ ઉંચું પોસ્ટર એપાર્ટમેન્ટમાં લગાવ્યું છે. આ પોસ્ટરમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યા રામ મંદિરનું ચિત્ર રાખવામાં આવ્યું છે અને ઉપર જયશ્રી રામ લખવામાં આવ્યું છે. આ વિશાળ પોસ્ટર જોઈને ત્યાંથી પસાર થતાં લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે.

- text

- text