મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશનું પૂજન કરાયું

- text


મોરબી : આજ રોજ 8 જાન્યુઆરીના રોજ સવારે 10-30 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકિયા, ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી હેતલબેન ખારેચા અને સામાજિક કાર્યકર નેહાબેન બદ્રકિયાના સહયોગથી અક્ષત કળશની પધરામણી કરાવવામાં આવી હતી.

અયોધ્યાથી આવેલા રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું મોરબીના શનાળા રોડ પર આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજારી, મહિલાઓ અને બાળાઓ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાની બાળાના શીર પર આ કુંભ લઈ ભજન, રાસ, કીર્તન સાથે ભાવથી શ્રી સત્યેશ્વર મહાદેવના મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, વોર્ડ નં 9ના પૂર્વ કાઉન્સિલર કુંદનબેન માકાસણા, મોરબી શહેર મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા સોસાયટીના ભાઈઓ – બહેનોએ હાજરી આપી. ઉપરાંત મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકિયાના પરિવારના સભ્યો, દેવિનભાઈ બદ્રકિયા તથા હિતેશભાઈ મહેમદાવાદિયા, હિરલબેન મહેમદાવાદિયા અને જલ્પાબેન અંકિતભાઈ અખિયાણીયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

- text

- text