પીપળીયા ગામની વિનય સાયન્સ સ્કુલમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કરાયું

- text


મોરબી : મોરબીની પીપળીયા ગામની વિનય સાયન્સ સ્કૂલના અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું.

આગામી તા. 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામમંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે સમગ્ર દેશ ભગવાન શ્રીરામની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. હાલ શહેરોમાં અને ગામડે-ગામડે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશનું પૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પીપળીયાની વિનય સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક જ્ઞાનની સમજ માટે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશનું વિદ્યાર્થીઓ દ્વારા સામૈયું કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે શાળામાં વિદ્યાર્થીઓએ જયશ્રી રામના નારા લગાવી પૂજા કરી હતી.

- text

- text