મોરબીની વિજયનગર સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત

- text


મોરબી : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. ત્યારે અયોધ્યાથી હાલ અક્ષત કળશની યાત્રા મોરબીમાં ફરી રહી છે. ત્યારે આજ રોજ મોરબીની કન્યા છાત્રાલય રોડ પર આવેલી વિજયનગર સોસાયટી ખાતે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ કળશના દર્શન કર્યા હતા.

- text

- text