જેતપર (મચ્છુ) ગામે 31 ડિસેમ્બરે ઓડિયા પરિવારનું સ્નેહમિલન યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 31 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના જેતપર (મચ્છુ) ગામે ઓડિયા પરિવારનું સ્નેહમિલન યોજાશે.

જેતપર (મચ્છુ) ગામે આવેલા શિવમંદિર ખાતે 31 ડિસેમ્બર ને રવિવારે બપોરે 11-30 કલાકે સુરાપુરા દાદાના સાનિધ્યમાં સમસ્ત ઓડિયા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 600 જેટલા લોકો હાજરી આપશે. 11 કલાકે સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. ત્યારબાદ ઓડિયા પરિવારના 1 થી 3 નંબર મેળવનાર ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને સન્માનિત કરી ઈનામ આપવામાં આવશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઓડિયા પરિવારની બહેન/દીકરીઓને આમંત્રિત કરવાની હોય તેની સંખ્યા અગાઉથી રમેશભાઈ ઓડિયા (મો.નં. 98259 51071) અથવા ભરતભાઈ મહેન્દ્રનગર (મો.નં. 99794 85970) અથવા ભરતભાઈ જેતપર (મો.નં. 99095 40474) અથવા પ્રાગજીભાઈ (મો.નં. 99133 93424) અથવા મનસુખભાઈ જેતપર (મો.નં. 97274 83793)નો સંપર્ક કરી લખાવી દેવા જણાવાયું છે. આ કાર્યક્રમમાં ઓડિયા પરિવારને સહકુટુંબ પધારવા સમસ્ત ઓડિયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text