મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન, સ્ટીકર ઝુંબેશ

- text


મોરબી : ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પોતાની કારમાં આ સ્ટીકર લગાવીને પક્ષી બચાવો અભિયાનનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

- text

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાઓ અભિયાનના સ્ટીકર કારમાં લગાવવાનું કાર્ય આજથી ચાલુ કરવામાં આવ્યું છે. જે કોઈને પોતાની કારની પાછળ આ સ્ટીકર લગાવવું હોય તેઓએ TACZO CAR, માધવ હોટલ સામે,મારુતિ શોરૂમ બાજુમાં, સકત શનાળા, મોરબી રાજકોટ હાઇવે ખાતે સવારે 10 થી 1 અને સાંજે 3 થી 7, સ્થળ 2 – કેપિટલ માર્કેટ ગ્રાઉન્ડ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાત્રે 9.30 થી 12 સુધી વિનામૂલ્યે સ્ટીકર લગાવી દેવામાં આવશે. જેથી વધુને વધુ લોકો પોતાની કારમાં આ સ્ટીકર લગાવે તેવી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે મો.7574868886 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text