મોરબી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ખાતે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે માહિતી આપવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકીયા, સામાજિક કાર્યકર નેહાબેન બદ્રકિયા, ગુર્જર સુથાર જ્ઞાતિના આગેવાન હેતલબેન ખારેચા તેમજ આંગણવાડી વર્કર હિરલબેન મહેમદાવાદીયા દ્વારા આયોજિત કરાયો હતો. જેમાં રિયાઝભાઈ ઘાંચીના સહયોગથી બહોળી સંખ્યામાં લોકોએ વિશ્વકર્મા યોજનાનો લાભ લીધો હતો. કેમ્પમાં આવેલા તમામ લોકોને વિશ્વકર્મા યોજના તેમજ અન્ય સરકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી અને આ યોજનાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા જણાવ્યું હતું.

- text

- text