મોરબી આર્ય સમાજ દ્વારા 1100 કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન

- text


મોરબી : આર્યસમાજ દ્વારા ભારતવર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત મોરબી આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા તા. 24 ડિસેમ્બરને સવારના 7 કલાકે આર્ય ભૂમિ ખાતે 1100 કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 24 ના સવારના 7:30 થી 10 કલાકે વૈદિક યજ્ઞ, સવારે 10 થી 12 કલાકે ધર્મસભા, પ્રવચન, આર્શીવચનનો કાર્યક્રમ યોજાશે. આ યજ્ઞમાં બેસવાનું નિ:શુલ્ક છે તથા કોઈ જ્ઞાતિ બાધ નથી. તેમજ યજ્ઞમાં બેસવા માટે એસ. પી. રોડ, ધ વન અપ પાસે, દુકાન નં. 2, ખાતે આવેલા કાર્યાલયમાં સવારના 9 થી 12 અને સાંજના 4 થી 6 દરમિયાન રૂબરૂ જઈ ફોર્મ ભરી નોંધણી કરાવવાની રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text