મોરબીના પ્રેમજીનગરમા શાળાના બાળકોને ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ 

- text


મોરબી : મોરબી તાલુકાની પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે સ્વ. ગુલાબભાઈ વેલજીભાઈ શેખવાની બીજી પુણ્યતીથી નિમીત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જે નિમીત્તે તેમના પરિવાર દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ ધો. 2 થી 5ના દરેક વિદ્યાર્થીઓને ચોપડા અને બાલવાટિકા તથા ધો.1 ના વિદ્યાર્થીઓને સ્લેટ આપવામાં આવી હતી. આ તકે સ્વ. ગુલાબભાઈના પિતા વેલજીભાઈ, માતા હંસાબેન, જયેશભાઈ શેખવા ,તેમનો પુત્ર યુગ તેમજ શાળાના ભૂતપૂર્વ આચાર્ય બાબુભાઈ હોથી હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય બરાસરા કિશોરભાઈ તરફથી તેમના પરિવારનો આભાર માન્યો હતો.

- text

- text