લખતર ઉમાધામ મંદિરના મુખ્ય દાતા તરીકે જોડાતા મોરબીના ભામાશા ગોવિંદભાઈ વરમોરા

- text


મોરબી : શ્રી પાટીદાર સમાજ ટ્રસ્ટ- લખતર (સુરેન્દ્રનગર) દ્વારા જગત જનની મા ઉમિયાના મંદિર ઉમા ધામનું નિર્માણ કરવામાં આવનાર છે. ત્યારે આ મંદિરના મુખ્ય દાતા તરીકે મોરબીના પાટીદાર ભામાશા ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા જોડાયા છે અને માતબર દાન આપ્યું છે.

મોરબીના પાટીદાર ભામાશા ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરાએ શ્રી પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર દ્વારા નિર્માણ પામનાર ઉમા ધામ મંદિરમાં 12,99,999 (બાર લાખ નવ્વાણુ હજાર નવસો નવ્વાણુ) રૂપિયાનું માતબર દાન અર્પણ કર્યું અને મંદિરના મુખ્ય દાતા તરીકે જોડાયા છે. ગોવિંદભાઈ વરમોરાના આ ભાવનાની શ્રી પાટીદાર સમાજ ટ્રસ્ટ-લખતર દ્વારા સરાહના કરાઈ છે અને તેમનું સન્માન કરાયું છે. મહત્વનું છે કે 29 નવેમ્બરના રોજ લખતર ખાતે નિર્માણ પામનાર ઉમા ધામ મંદિરનો ભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. જેમાં ગોવિંદભાઈ વરમોરાએ હાજરી આપી હતી અને આ દાન જાહેર કર્યું હતું.

- text

- text