મોરબીની નિર્મલ વિદ્યાલય દ્વારા કચ્છનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

- text


મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલય દ્વારા ધો.6ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શૈક્ષણિક પ્રવાસમાં બાળકોએ ખુબ જ આનંદ લીધો હતો.

આ પ્રવાસ દરમિયાન બાળકોએ કચ્છની સુંદરતા જોઈ હતી. તેમજ આ સાથે ત્યાં આવેલા અનેક સ્થળો જેવાં કે વિજય વિલાસ પેલેસ, માંડવી બીચ, ભુજમાં આવેલો આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્મૃતિ વન જેવાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને સ્થળો વિશે માહિતી મેળવી હતી. કચ્છના પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે શાળાના આચાર્ય કલોલા ગોવિંદભાઈ, ચોટલીયા પિયુષભાઇ, નિલેશભાઈ ચોટલીયા સહીત શિક્ષક ભાઈઓ તેમજ બહેનો જોડાયાં હતા. આ રીતે નિર્મલ વિદ્યાલય દ્વારા એક સફળ શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

- text

- text