મોરબીની વાવડી ચોકડીએ તળાવમાં ડૂબી જતાં સગીરનું મૃત્યુ

- text


મોરબી : નવા વર્ષના સપરમાં દિવસોમાં મોરબીમાં આજે વધુ એક આઘાતજનક ઘટના બની હતી જેમાં વાવડી ચોકડી નજીક આવેલ ગૌશાળા પાછળ તળાવમાં ન્હાવા પડેલા બાળકો પૈકી એક સગીર બાળકનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

- text

મોરબી ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના વાવડી ચોકડી વિસ્તાર નજીક ગૌશાળા પાછળ આવેલા તળાવમાં ઘણા બાળકો ન્હાવા ગયેલા જે પૈકી માહિર અતુલભાઈ ટિકરિયા ઉ.15 નામનો બાળક પાણીમાં ડૂબી જતાં ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ બાળકને બચાવવા માટે પળવારનો વિલંબ કર્યા વગર બનાવ સ્થળે દોડી ગયા હતા પરંતુ 20 મિનિટની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

- text