મોરબીના વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં અન્નકૂટ દર્શન યોજાયો 

- text


મોરબી : આજરોજ નૂતન વર્ષ નિમિત્તે મોરબીના વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા. આજરોજ મોરબીના વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સવારે મંગળા આરતી ત્યારબાદ પ્રભાત આરતી અને ત્યારબાદ ઓજારોહણ કરવામાં આવ્યું હતું.

બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ વિશ્વકર્મા પ્રભુજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આ અન્નકૂટના દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ લીધો હતો અને નૂતન વર્ષે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

- text

- text