મોરબીમાં રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ મોરબી જીલ્લા દ્વારા વિક્રમ સંવત 2080ના નુતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા તા. 14 નવેમ્બરના સાંજે 4:30 કલાકે રેમન પાર્ટી પ્લોટ, જીલ્લા સેવા સદન પાછળ, સામા કાંઠે, મોરબી-2 ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લામાં વસતા તમામ રાજપુત ક્ષત્રિય સમાજના પરિવારો સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંઘના મહામંત્રી રાજવીરસિંહ સરવૈયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text