મોરબીમાં કાલે મુનનગર ફીડર અને શોભેશ્વર વિસ્તારમાં વીજકાપ

- text


મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.8ના નવા કનેક્શનની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મુનનગર ફીડર તેમજ શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી શોભેશ્વર ફીડરમાં આવતા વિસ્તારમાં તા.8 ને બુધવારે સવારે 7:30 થી 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તેમજ મુનનગર ફીડર હેઠળ આવતા વિસ્તાર જેવા કે ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચન્દ્રેશનગર, ન્યુ ચન્દ્રેશનગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2,3 અને 4 ના વિસ્તાર તેમજ શોભેશ્વર ફીડરમાં આવતા જૂના ઘૂંટું રોડ પરના જીલ્ટોપ સિરામીક આસપાસનો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text