- text
અકસ્માતના બનાવ અંગે એક મહિના બાદ ફરિયાદ નોંધાઈ
- text
મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા નજીક ગત તા.8 ઓક્ટોબરના રોજ GJ-36-U-9196 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે રીક્ષા અથડાવતાં રિક્ષામાં બેઠેલા મધ્યપ્રદેશના વતની રાધેશ્યામ સીતારામ સુર્યવંશી ઉ.32નું ઈજાઓ પહોંચતા મૃત્યુ થયું હતું. બનાવ બાદ મૃતકની અંતિમવિધિ માટે તેમના પરિજનો વતનમાં ગયા હોય ગઈકાલે વતનમાંથી પરત આવી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં GJ-36-U-9196 નંબરની સીએનજી રીક્ષાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text