મોરબીમાં પ્રોફેસરોએ પેન મૂકી થાળી વગાડી ! પડતર પ્રશ્ને થાળીનાદ સાથે રામઘુન બોલાવી  

- text


એલઇ કોલેજના પ્રોફેસરોએ પ્રતીક ઘરણા કરી જ્યાં સુધી પડતર માંગણીઓ નહિ સંતોષાઈ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા એલાન કર્યું

મોરબી : મોરબીની એલઇ કોલેજના પ્રોફેસરોએ આજે પડતર માંગણીઓના પ્રશ્ને થાળીનાદ સાથે રામધૂન બોલાવી પ્રતીક ઘરણાં કર્યા હતા અને પ્રોફેસરોએ પ્રતીક ઘરણા કરી જ્યાં સુધી પડતર માંગણીઓ નહિ સંતોષાઈ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નીર્ધાર વ્યક્ત કર્યો છે.

મોરબીની એલઇ કોલેજના આધ્યાપકો દ્વારા આજે પડતર પ્રશ્ને પ્રતીક ઘરણા કરવામાં આવ્યા હતા. આ એલઇ કોલેજના પ્રોફેસરોના જણાવ્યા મુજબ પ્રમોશન, વર્ગ- 2,3,4ની ભરતી સહિતની પડતર માંગણીઓ મામલે પ્રોફેસરોએ પ્રતીક ઘરણાં કરી થાળી વગાડી રામધૂન બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં પ્રોફેસરો જોડાયા હતા અને હજુ પણ પડતર માંગણીઓ નહિ સંતોષાઈ તો આગળ પણ આંદોલન ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

- text

- text