મોરબીમાં આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઈ

- text


મોરબી : મોરબીમાં પરશુરામ ધામ ખાતે તાજેતરમાં રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઈ હતી. જેનો 130થી વધુ લોકોએ લાભ લીધો હતો.

મોરબીમાં પરશુરામ ધામ ખાતે આયોજિત રામચરિત માનસ આધારિત આધ્યાત્મિક વિકાસ શિબિર સ્વર્ગીય સરોજબેન ભુપતભાઈ પંડ્યા તથા સ્વ.ભાનુમતિબેન કે.ભટ્ટના સ્મરણાર્થે પરશુરામ ધામ ટ્રસ્ટ, બ્રહ્મ આગેવાનો, યુવાનો તથા મહિલાઓ દ્વારા યોજાઇ હતી. શિબિરના મુખ્ય વક્તા ડોક્ટર ગોપાલ શાસ્ત્રીજી હતા. શિબિરનો મુખ્ય ઉદ્દેશ નવી ભોજન પ્રથાથી દવા વિના રોગમુક્તિનો હતો.

શિબિર દરમ્યાન બપોરના સમયે પ્રાકૃતિક ભોજન પીરસવામાં આવ્યું હતું અને અલગ અલગ જ્યુસ પણ પીરસવામાં આવ્યા હતા. આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ભોજન લેવાથી દવા વગર શરીરમાં એક કે બે મહિનામાં કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે. આવું ગોપાલ શાસ્ત્રીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં 130થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ શિબિરને સફળ બનાવવા માટે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ભટ્ટ, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, કિશનભાઇ ઉપાધ્યાય, પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અતુલભાઈ જોશી, હરેશભાઈ જાની, સુરેશભાઈ જોશી, જીતુભાઈ ભટ્ટ, જિલ્લા બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, મુકેશભાઈ જાની, મુકેશભાઈ રાજગોર, રાજુભાઈ ત્રિવેદી, ધ્યાનેશભાઈ રાવલ, જિલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકર, નીલાબેન પંડિત તેમજ બ્રહ્મ આગેવાનોએ જેહમત ઉઠાવી હતી

- text

- text