મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવતો આદ્રોજા પરિવાર

- text


મોરબી : મોરબીના આદ્રોજા પરિવારે પોતાના સ્વર્ગસ્થ પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીના જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. આઠ દિવસ પહેલા જ અકસ્માતમાં મૃત્યુ પામનાર સ્વ. દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજાના સ્મરણાર્થે આદ્રોજા પરિવારે જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરીને પુત્રને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. તે અંતર્ગત તાજેતરમાં માર્ગ અકસ્માતમાં અવસાન પામનાર 18 વર્ષીય સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજાના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા સદગતના આત્માના શાંતિ અર્થે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો. આ તકે જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- text

- text