માળીયાના નાનાભેલા ગામે શરદોત્સવ ઉજવાશે

- text


મોરબી : આવતીકાલે શરદપૂનમ નિમિતે ઠેરઠેર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માળીયાના નાનાભેલા ગામ રામેશ્વર ઢોલ ત્રાંસા યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે તા.28ના રોજ શનિવારે રાત્રે 9-30 કલાકે શરદપૂનમ નિમિતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયક કલાકાર નીતિનભા ગઢવી, જ્યોત્સના ચૌહાન અને ઢોલી કશ્યપ અગ્રાવતના કર્ણપ્રિય સુરતાલે ગ્રામજનો રાસ ગરબાની રમઝટ બોલાવશે .આથી આ રસોત્સવનો તમામ ગ્રામજનોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- text

- text