માતાજીના નિવેદ કરવા ગયેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા 

- text


માળીયાના નીરુબેનનગર ગામે બનેલો બનાવ : તસ્કરો રહેણાંક મકાનની બારી તોડી સોનાનો હાર અને રોકડ ચોરી ગયા 

માળીયા : માળીયા તાલુકાના નીરુબેનનગર ગામે રહેતો પરિવાર નવરાત્રીની અષ્ટમીએ માતાજીના નિવેદ કરવા બહારગામ જતા બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરની બારી તોડી તિજોરીમાંથી સોનાનો હાર અને રોકડ ચોરી કરી લઈ જતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના નીરુબેનનગર ગામે રહેતા કિશોરભાઇ શીવાભાઇ ધામેચા અને તેમનો પરિવાર નવરાત્રીની અષ્ટમીના દિવસે ગત તા.22ના રોજ વધારવા ગામે માતાજીના મંદિરે નિવેદ કરવા જતા પાછળથી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરની બારી તોડી ઘરની તિજોરીમાંથી આશરે બે તોલા સોનાનો હાર કિંમત રૂપિયા 80 હજાર તેમજ રોકડા રૂપિયા 7 હજાર ચોરી જતા કિશોરભાઇ શીવાભાઇ ધામેચાએ માળીયા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text