ઓ.આર પટેલની પુણ્યતિથિએ હળવદમાં ૧૦૦૬ લોકોએ કર્યું રક્તદાન 

- text


હળવદ : પાટીદાર સમાજના રત્ન એવા સ્વ.ઓ.આર.પટેલની આજે 11મી પૂર્ણતિથી હતી.તેઓને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે હળવદ સહિત રાજ્યના જુદા-જુદા 27 સ્થળોએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.હળવદમાં ઉમા કન્યા છાત્રાલય ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૦૦૬ લોકોએ રક્તદાન કર્યું હતું.જ્યારે હળવદ સહિત ૨૭ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૨૦ હજાર બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું જેને લઇ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.

હળવદમાં હજુ પણ વધુ લોકો રક્તદાન કરવા માટે લાઈનોમાં ઊભા હતા પરંતુ બ્લડ બેંકોની ક્ષમતા પૂરી થઈ ગઈ હતી.ખાસ કરીને રક્તદાન કેમ્પમાં યુવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ તકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,હળવદ પાટીદાર સમાજના અગ્રણી જશુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ મહા રક્તદાન કેમ્પને સફળ બનાવવા બદલ ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ-હળવદ દ્વારા પાટીદાર સમાજનો તેમજ દરેક સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text