મોરબીની ભરતનગર શાળામાં તમાકુ નિષેધ વિષયે નિબંધ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા તમાકુ નિષેધ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને ટોબેકો સેલ મોરબીના સંયુક્ત ઉપક્રમે ભરતનગર પ્રાથમિક શાળા ખાતે આજે તારીખ 12 ઓક્ટોબરના રોજ તમાકુ નિષેધ અંગે વિદ્યાર્થીઓમાં તમાકુ અને વ્યસન મુક્તિ અંગેના પોતાના મૌલિક વિચારો રજુ કરી શકે તે હેતુથી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્તીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. સી.એલ. વારેવડિયાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર બી.એ. કાલરીયા, આરોગ્ય કાર્યકર ભગીરથ પંડ્યા, સી.પી. ચૌહાણ, આચાર્ય દલસાણીયા સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text