સુપ્રસિદ્ધ માટેલ ધામે નાની બાળાઓ કરશે મા ખોડલની આરાધના

- text


ગળધરેથી માજી નિસર્યા, આવ્યા છે માટેલ ગામડે રે હાં..

વાંકાનેર : આગામી તારીખ 15 ઓક્ટોબરથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં બિરાજમાન જગવિખ્યાત માટેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ નવરાત્રિ પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

માટેલ ખોડિયાર માતાજીના મંદિરે તારીખ 15 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી આસો માસના નોરતા ચાલુ થતા હોવાથી માટેલ મંદિરમાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. નવરાત્રિ દરમિયાન મંદિરે રોશનીનો શણગાર કરવામાં આવશે. સાથે જ દરરોજ માતાજીનો શણગાર કરી રંગોળી કરવામાં આવશે. રાત્રે માતાજીના મંદિર ચોકમાં નાની દીકરીઓ રાસ રમશે અને દરરોજ માતાજીની વેશભૂષામાં આખ્યાન કરવામાં આવશે. તો આ નવરાત્રિ પર્વમાં માટેલ ખોડિયાર મંદિરે પધારવા નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text