- text
મોરબી : આવતીકાલે તારીખ 8 ઓક્ટોબર ને રવિવારના રોજ ગોપાલ ફીડર તેમજ તેની હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સવારે 7-30 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.
પીજીવીસીએલ દ્વારા જણાવ્યા પ્રમાણે, સમારકામ કરવાનું હોય 8 ઓક્ટોબરે મોરબીના ગોપાલ ફીડર હેઠળના રિલિફનગર, રોટરીનગર, અરુણોદયનગર, રામકૃષ્ણનગર, જનકલ્યાણ સોસાયટી, વર્ધમાનનગર, સરસ્વતી સોસાયટી, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજ સોસાયટી, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક, આશા પાર્ક તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.
- text
- text