ટંકારાના ધ્રુવનગરમાં માછીમારી કરવા મામલે ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો  

- text


બે દિવસ પહેલા ધ્રુવનગરની ડેમી નદીના કાંઠે બનેલી ઘટનામાં ગુન્હો નોંધાયો 

ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે આવેલી ડેમી નદીમાં માછીમારી કરવા મામલે ત્રણ શખ્સોએ બે દિવસ પહેલા યુવાનને માર મારતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા વિજયભાઈ ખીમાભાઈ વાઘેલા તેમજ તેના મિત્રો ડેમી નદીમાં માછીમારી કરતા હોય ધ્રુવનગર ગામના જ આરોપી પોપટ ભરવાડ તેમજ બે અજાણ્યા માણસોએ વિજયભાઈ ખીમાભાઈ વાઘેલાને નદીમા શુ કામ મચ્છીમારી કરો છો તેમ કહી લાકડાના ધોકા વતી હાથ તથા પગે તથા શરીરે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હવે પછી મચ્છીમારી કરવા ગયો છો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં પોપટ ભરવાડ તેમજ બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text