મોરબી ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાશે; માર્કશીટ સ્વીકારવાનું શરૂ

- text


મોરબી : મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો 26મો સરસ્વતી સત્કાર સમારંભ યોજાશે જે માટે આગામી 19 ઓક્ટોબર સુધીમાં માર્કશીટ જમા કરાવવાની રહેશે .

સત્કાર સમારોહમાં ગોસ્વામી સમાજના કે.જી.થી કોલેજ સુધી તથા કોલેજથી કોઈપણ માસ્ટર ડિગ્રી અથવા કોઈપણ વિશેષ સિદ્ધિ મેળવેલ વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે. જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે તેઓને શીલ્ડ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવશે. આ માટે માર્કશીટ વહેલામાં વહેલી તકે નીચે આપેલ સ્થળે તારીખ 19/10/2023 સુધીમાં પહોંચતી કરવાની રહેશે. માર્કશીટ ગોસ્વામી બુક સ્ટોલ, સરદાર બાગ પેટ્રોલ પંપ સામે, પત્રકાર સુરેશગીરી ગૌસ્વામીને તથા શ્રીરામ મોબાઈલ રીપેરીંગ, સત્યમગીરી ગોસ્વામી, દેવ અક્ષર કોમ્પલેક્ષ સામે, નહેરુ ગેટ ચોક ખાતે સવારે 10:00 થી રાત્રિના 8:00 સુધીમાં જમા કરાવવાની રહેશે. માર્કશીટ પાછળ મોબાઈલ નંબર લખવા તથા જ્ઞાતિના કોઈપણ કારોબારી સદસ્યને આપી શકશો. એમ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ગોસ્વામી દ્વારા જણાવાયું છે.

- text

- text