મોરબીના અમૃતનગરમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાયું

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા અમૃત નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ ઉત્સવની સાથે નાના બાળકોને મનોરંજન મળી રહે તે હેતુથી દરરોજ જુદી-જુદી રમતો રમાડવામાં આવે છે તેમજ જોકર, ભૂત જેવાં પાત્રો રજૂ કરીને હસાવવામાં આવે છે. તેમજ બહેનોને રાસ-ગરબા પણ રમાડવામાં આવે છે. આ સાથે ઉપસ્થિત દરેક ભૂલકાંઓને અલગ-અલગ ગીફ્ટ આપીને ખુશ કરી દેવામાં આવે છે. અમૃત નગરના આ ગણપતિના દર્શન કરવા દરેક મોરબી વાસીઓને આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text