- text
મોરબી : મોરબીના શનાળા ગામે આવેલ આંબેડકર નગર વિસ્તારમાં રહેતો યુવાન ગતરાત્રીના કુવામાં પડી જતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગની ટીમે બનાવ સ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શનાળા ગામે આંબેડકર નગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ દેશભાઈ સનારીયા નામનો યુવાન ગઈકાલે મોડીરાત્રે આંબેડકર નગર નજીક આવેલ કુવામાં પડી જતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે ભારે જહેમત બાદ આ યુવાનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો.વધુમાં બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તપાસમાં મૃતક નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું.
- text
- text