ઘુંટું ગામે કષ્ટભંજન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરાશે

- text


મોરબી : ઘુંટું ગામે કષ્ટભંજન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. સવારે 8:00 વાગ્યે રથયાત્રા નીકળવાની છે અને બપોરે 12 વાગ્યે મટકી ફોડવાની છે. આ ઉપરાંત રાત્રે 12:00 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં પધારવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text