મોરબીના જેતપર ગામે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે

- text


મોરબી : મોરબીના જેતપર ગામે જન્માષ્ટમી પર્વના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકાળી ગરબી મંડળ દ્વારા તારીખ 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાશે.આ કાર્યક્રમને લઈને મહાકાળી ગરબી મંડળના સભ્યો વૈભવભાઈ ધુમલ, હકાભાઈ પરમાર, ભાવેશભાઈ પરમાર સહિતના યુવાનો તૈયારી કરી રહ્યા છે અને આ શોભાયાત્રા અને મટકીફોટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text