મોરબીની બ્લોસમ સ્કુલમાં નંદ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ

- text


મોરબી : તાજેતરમાં કૃષ્ણોત્સવ આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ કૃષ્ણના વ્યક્તિત્વને પોતે કાનુડો બની જાણે અને સમજી શકે તે હેતુથી મોરબીની બ્લોસમ સ્કુલમાં નંદ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સ્કૂલમાં કાનુડાના ઘર જેવું એક નંદભવન ઉભુ કરવામાં આવ્યું હતું. કાનુડાને બાંધવાનું ઉખલ,છાસનું વલોણું,ઘંટુલો જેવી વિસરાય ગયેલી વસ્તુઓ રાખવામાં આવી હતી તેમજ મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્યગીતો રજૂ કર્યા હતા,સાથે સાથે બેસ્ટ કૃષ્ણ અને યશોદા,બેસ્ટ રાધા અને તેની મમ્મી તેની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં બધા વાલીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગાયત્રીબેન મકવાણા,ડો.માયાબેન ભાડેસીયા, સોનલબેન દેસાઈએ જજ તરીકે સેવા આપી હતી. સ્પર્ધાનાં અંતે વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ જહેમત ઉઠાવી હતી.

- text

- text