માળીયાના નાનાભેલા ગામે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

- text


ભવ્ય શોભાયાત્રા, મટકી ફોડ અને મહાપ્રસાદનું આયોજન

માળીયા (મી.) : આગામી તારીખ 7 સપ્ટેમ્બરના રોજ તાલુકાના નાનાભેલા ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

રામેશ્વર ઢોલ-ત્રાસા યુવક મંડળ નાનાભેલા દ્વારા 7 સપ્ટેમ્બરને ગોકુળ આઠમના દિવસે સવારે 8 કલાકે નાનાભેલા ગામના રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે બપોરે 12 કલાકે પ્રાથમિક શાળા ખાતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમગ્ર કાર્યક્રમનો લ્હાવો લેવા નાનાભેલા ગામની સમસ્ત ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text