મોરબીના આર્યસમાજ મંદિરમાં યજુર્વેદ પારાયણ મહાયજ્ઞ યોજાશે

- text


મોરબી : મોરબીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ નિમીત્તે તા. 24 થી 27 ઓગસ્ટના સવારે 9 થી 11 તેમજ સાંજના 4 થી 6 કલાકે આર્યસમાજ મંદિર ખાતે યજુર્વેદ પારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યજુર્વેદ પારાયણ યજ્ઞબ્રહ્મા તરીકે મોરબી આર્યસમાજના પંડિત ધર્મવીરજી શાસ્ત્રી તેમજ બ્રહ્મચારી ગણ તરીકે પંડિત દિપેન શાસ્ત્રી તથા ગુરૂકુલ ટંકારાના બ્રહ્મચારી દ્વારા યજુર્વેદના મંત્રો દ્વારા યજ્ઞમાં આહૂતિ આપવામાં આવશે. આ મહાયજ્ઞનો પ્રારંભ તા. 24ને ગુરૂવારે થશે જ્યારે પૂર્ણાહુતિ તા. 27ને રવિવારે સવારે 9 થી 12:30 કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી દિપકભાઈ ઠક્કર, ગાયત્રી પરિવાર કાર્યકર્તા જે. પી. જાડેજા, વૈદિક ધર્મપ્રેમી મોહનભાઈ રાઘવજીભાઈ મેરજા, સરસ્વતી શિશુ મંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ પોપટભાઈ રાજકોટિયા ઉપસ્થિત રહેશે. મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ મહાયજ્ઞનો લાભ લેવા આર્યસમાજ મંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text