કાલે મોરબીના જુના રવાપર ગામ વિસ્તારમાં વીજકાપ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે તા.19ના રોજ સરદાર જેજીવાય ફીડરમાં આવતા રવાપર જુના ગામ સહિતના વિસ્તારોમાં ફીડર સમારકામ હેતુથી સવારે 7:30 થી 1:30 કલાકે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

પીજીવીસીએલના જણાવ્યા મુજબ આવતીકાલે સવારથી સરદાર બંગ્લોઝ, ધર્મ ભક્તિ, ભૂમિ ભક્તિ, પ્રમુખ રેસીડેન્સી, રંગધરતી પાર્ક, ક્રિષ્ના સ્કુલ પાછળ, શિવ શક્તિ, જ્યોતિ પાર્ક, વૈદેહી પ્લાઝા, વર્ધમાન રેસીડેન્સી, રવાપર જુનું ગામ, ઈસ્કોન ( A, B), વિજય નગર, સૂર્યકીર્તી, આરાધના સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં જ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી આપવામાં આવશે તેમ પીજીવીસીએલ શનાળા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરે જણાવ્યું છે.

- text

- text